અભિનેતા મોહન જાેશી વેક્સીનના બંને ડોઝ લીધા પછી કોરોના પૉઝિટીવ (

  • 8:44 am May 12, 2021

હાલમાં આખો દેશ જ્યાં કોરોના સંક્રમણ સામે લડી રહ્યો છે ત્યાં બીજાે ડર છે વેક્સીન વિશે. લોકોને ભલે કોરોના વેક્સીન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યો હોય પરંતુ એવા ઘણા લોકો છે જે વેક્સીનનો ડોઝ લીધા પછી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જાણીતા અભિનેતા મોહન જાેશી પણ વેક્સીનના બંને ડોઝ લીધા પછી હવે કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. મોહન જાેશી ગોવામાં પોતાની મરાટી સીરિયલનુ શૂટિંગ કરી રહ્યા હતા જ્યાં તેમને આ સંક્રમણ થયુ. હાલમાં તેઓ ગોવાની એક હોટલમાં ક્વૉરંટાઈન છે. ૭૫ વર્ષીય અભિનેતાએ પોતાના તબિયત વિશે માહિતી આપી.

મોહન જાેશીએ જણાવ્યુ કે તેમણે ૬ માર્ચના રોજ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારબાદ ૨૦ એપ્રિલે બીજાે ડોઝ લીધો. ત્યારબાદ તેઓ પોતાની સીરિયલ અગાબાઈ સુનબાઈનુ શૂટિંગ કરવા માટે ગોવા જતા રહ્યા હતા. તેમની સીરિયમાંથી માત્ર તે જ નહિ પરંતુ બીજા ચાર ક્રૂ મેમ્બર પણ પૉઝિટીવ આવ્યા છે. બાકીના એક્ટર્સ અને ક્રૂના રિપોર્ટ આવવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે મોહન જાેશી હિંદી સીરિયલમાં પણ સક્રિય છે. વર્ષ ૨૦૨૦માં તેઓ સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓમાં સીમા બિશ્વાસ સાથે દેખાયા હતા. સીરિયલ લોકોને ખૂબ ગમી હતી. મોહન જાેશીને ઘરબાહેર નામની પોતાની મરાઠી ફિલ્મ માટે નેશનલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. વળી, હિંદી ફિલ્મોમાં ગર્વ, ગંગાજલ, હોગી પ્યાર કી જીત જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા માટે જાણીતા છે.