કરન મેહરા સાથેનો વિવાદઃ ટીવી-એક્ટ્રેસ નિશા રાવલે કહ્યું, તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ સંબંધો છે

  • 8:51 am June 3, 2021

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં નૈતિકના રોલથી જાણીતો કરન મેહરા પર પત્ની નિશાએ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઈલ કર્યો હતો. પોલીસે કરનની ધરપકડ કરી હતી અને પછી જામીન પર છોડી મૂક્યો હતો. કરને કહ્યું હતું, નિશાએ જાતે જ દીવાલ સાથે માથું અથડાવ્યું હતું અને મને ખોટા કેસમાં ફસાવ્યો છે. હવે નિશા રાવલે કરન મેહરા સાથે કેવા સંબંધો છે અને તે કેવો છે એ અંગે વાત કરી હતી. નિશાના માથા પર પટ્ટી બાંધેલી હતી. નિશાએ કહ્યું, તેના પતિને એક્સ્ટ્રા મેરિટલ સંબંધો છે અને આ જ કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો અને વાત છૂટછેડા સુધી પહોંચી ગઈ છે.

નિશાએ કહ્યું હતું, તમને બધાને આ રીતે મળવું ઘણું જ શરમજનક છે, કારણ કે આપણે હંમેશાં રેડ કાર્પેટ ઈવેન્ટ્‌સ પર મળીએ છીએ. હું અહીં માત્ર દીકરા કવિશને કારણે છું. અમે ૧૪ વર્ષ સુધી સાથે હતાં. આ વર્ષોમાં ઘણું જ થયું હતું, પરંતુ કોઈને કંઈ ખબર પડવા દીધી નહોતી.

નિશાએ કહ્યું, કરનનું કોઈ છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. કરન લાંબા સમયથી મને છેતરી રહ્યો છે, પરંતુ મને થોડાં મહિના પહેલાં કરનના મેસેજ વાંચ્યા બાદ સાચી વાતની જાણ થઈ હતી. મેં તે બંનેને સાથે જાેયા હતા. મેં માત્ર પતિની ઈમેજ બચાવવા માટે આ વાત સાર્વજનિક કરી નહોતી. કરને પણ આ વાત મારી આગળ સ્વીકારી હતી કે તેના જીવનમાં અન્ય કોઈ યુવતી છે. આટલું જ નહીં, જ્યારે મેં તેને પૂછ્યું કે શું તમારી વચ્ચે શારીરિક સંબંધો છે, તો કરને એવો જવાબ આપ્યો હતો કે તે એ યુવતીને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો છે. તે યુવતી દિલ્હીની છે. કરન જ્યારે પરિવારથી દૂર ચંદીગઢમાં ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે યુવતીને મળ્યો હતો અને તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું.