છૂટાછેડાના ૮ વર્ષ બાદ કરિશ્મા કપૂરની ફરી લગ્ન કરવાની ઈચ્છા

  • 5:26 pm April 30, 2022

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે સંવાદ કર્યોભાભી આલિયા ભટ્ટે પહેરેલા કલીરા બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના માથે પડતાં તે ખુશ થઈ ગઈ હતી

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે સંવાદ કર્યો હતો. કરિશ્માએ 'આસ્ક મી એનિથિંગ' સેશન રાખ્યું હતું. જેમાં તેણે ફેન્સના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. ફેન્સે કરિશ્માને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અંગેના પ્રશ્નો પૂછ્યા હતા જેના તેણે જવાબ આપ્યા હતા. દરમિયાન એક ફેને કરિશ્માને બીજા લગ્ન અંગે સવાલ કર્યો હતો. ત્યારે કરિશ્માએ સવાલને અવગણવાને બદલે જવાબ આપવાનું પસંદ કર્યું હતું. કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેન્સને આપેલા જવાબો શેર કર્યા છે.

લગ્નનો સવાલ પૂછાતાં કરિશ્મા કપૂરે મૂંઝવણમાં હોય તેવી છોકરીનું જીઆઈએફ શેર કર્યું હતું. જવાબમાં લખ્યું હતું 'ડિપેન્ડ્‌સ'. મતલબ કે, કરિશ્મા સ્થિતિ અને સંજાેગો અનુસાર બીજીવાર લગ્ન કરવા તૈયાર છે. એક લગ્નજીવનમાં કડવો અનુભવ થયા બાદ કરિશ્મા ફરી પરણવા તૈયાર છે. આ સિવાય કરિશ્મા કપૂરને રણબીર અને રણવીરમાંથી કોણ વધુ પસંદ છે? તેમ પૂછવામાં આવતાં તેણે બંને ગમે છે તેવો જવાબ આપ્યો હતો. ફેવરિટ વ્યક્તિ કોણ છે? આ સવાલનો જવાબ કરિશ્માએ ચાર તસવીરો શેર કરીને આપ્યો હતો. એક તસવીરમાં કરિશ્માના બંને બાળકો છે, બીજીમાં તેના મમ્મી-પપ્પા, ત્રીજી તસવીરમાં બહેન કરીના અને તેનો પતિ સૈફ અને ચોથી તસવીરમાં કરીનાના દીકરાઓ જેહ અને તૈમૂર જાેવા મળે છે. મતલબ કે, આ સૌ તેના ફેવરિટ છે.

જણાવી દઈએ કે, આ મહિને જ કરિશ્માના કાકાના દીકરા રણબીર કપૂરના લગ્ન થયા હતા. આ દરમિયાન ભાભી આલિયા ભટ્ટે પહેરેલા કલીરા કરિશ્માના માથે પડતાં તે ખુશ થઈ ગઈ હતી. માનવામાં આવે છે કે, લગ્ન કરનારી દુલ્હનના કલીરા જેના માથે પડે તેના ટૂંક સમયમાં લગ્ન થાય છે. એવામાં કરિશ્માએ કલીરા સાથેની પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું, 'કલીરા મારા પર પડ્યા છે.' ફોટોમાં કલીરા પડતાં કરિશ્મા કેટલી ઉત્સાહિત હતી તે જાેઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૩માં કરિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરિશ્મા અને સંજયના બે બાળકો છે, દીકરી સમાયરા અને દીકરો કિઆન. ૨૦૧૪માં કરિશ્મા અને સંજયે અલગ થયા હતા અને પરસ્પર સમજૂતી હેઠળ ડિવોર્સ માટે અરજી કરી હતી. જાેકે, ડિવોર્સની પ્રક્રિયા દરમિયાન સંજય અને કરિશ્માએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના ડિવોર્સ ૨૦૧૬માં મંજૂર થયા હતા અને બંને બાળકોની કસ્ટડી કરિશ્માને મળી હતી. ડિવોર્સના થોડા વર્ષો બાદ કરિશ્મા કપૂરનું નામ બિઝનેસમેન સંદીપ તોશ્નીવાલા સાથે જાેડાયું હતું. બંને અવારનવાર સાથે પણ જાેવા મળતા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો ના ટક્યો અને બ્રેકઅપ થઈ ગયું.

કરિશ્માએ પોતાના બાળકોનું ધ્યાન રાખવા ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. જાેકે, બાળકો મોટા થઈ જતાં કરિશ્મા ફરીથી એક્ટિંગમાં સક્રિય થઈ છે. હાલ કરિશ્મા ક્રાઈમ થ્રિલર બ્રાઉનનું શૂટિંગ કરી રહી છે. આ થ્રિલર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.