સંખેડા તાલુકાના ગોલાગામડી વાઘોડિયા રોડ ઉપર હરેશ્વર નજીક બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું

  • 6:10 pm May 30, 2022

:સલમુદ્દિં શેખ 


સંખેડા તાલુકાના હરિપુરા ગામે રહેતા નગીનભાઈ ભગાભાઈ વસાવા તેઓનું ટ્રેક્ટર ભાડે ચાલતું હોવાને કારણે પૈસાની ઉઘરાણી કરવા માટે તરસવા ગામે ગયા હતા તેમને અકસ્માત સર્જાયો હતો તેમના ઘરના સભ્યોને આ અકસ્માત બાબતે જાણ થતા તેઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા સ્થળ ઉપર હરેશ્વર ગામની સીમમાં વાઘોડિયા તરફથી આવતા રોડિની ડાબી બાજુ થોડી સમડી ના ઝાડ સાથે મોટર સાયકલ અથડાવીને નીચે પડી ગઈ હતી

બાઈકચાલક નગીનભાઈ ને માથાના ભાગે ડાબી બાજુ કપાળ ઉપર તથા મો અને નાક તેમજ દાઢીના ભાગે વાગ્યું હતું પુષ્કળ લોહી નીકળતું હતું તેમની મોટરસાઇકલ જમ્પર તથા સ્ટેડિંગ વળી ગયું હતું જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ આવતા તેમાં નગીનભાઈ ને સારવાર અર્થ સંખેડા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અત્રે ફરજ પરના તબીબે નગીનભાઈ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું