લગ્નની લાલચે યુવતી અને તેના મળતીયાઓ દ્વારા લગ્ન વાંછુકના ઘરે ચોરી
- 7:55 pm June 9, 2022
પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કરતાં લોકો માટે લાલબતી…
જામનગરમાં રસોઇના વ્યવસાય સાથે જોડાયેલા સાગરભાઈને તેમની પત્ની અને સાસુ તેમજ અન્ય મળતીયાઓ એ મળીને જમાઈને ૨૭૪૬૦૦/- નું બુચ મારી ફરાર થતાં પત્ની, સાસુ સહિત ૬ સામે ફરિયાદ
મૂળ મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના મલસીરસ તાલુકાના ગિરવી ગામના વતની અને હાલ જામનગરમાં બે ભાઈ અને તેના માતા, પિતા સહિતનો પરિવાર જામનગરના બેડેશ્વર કાપડમિલની ચાલીના ગરબી ચોકમાં રહેતા પાન,બીડિના વ્યવસાય સાથે જોડાયેલા સદાશિવભાઈ ના ગત તારીખ ૧૬-૦૨-૨૨ના રોજ બપોરે ત્રણેક વાગ્યા આસપાસ પગ નીચેથી જમીન ખસી ગઈ
જ્યારે એમને ખબર પડી કે બે દિવસ અગાઉ ૧૪-૨-૨૦૨૨ના તેમના સુપુત્ર સાગર સાથે શુભાંગીના ધૂમ ધામથી લગ્ન થયા હતા, જેના માત્ર એક દિવસ બાદ સાગર ફરીથી અગાઉની જેમ બજરંગ ઢોંસામાં પોતાના કામ ધંધે લાગી ગયો હતો, એવામાં બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તેમના પિતાનો તેના પર ફોન આવ્યો કે શુભાંગી ઘરમાં નથી અને ઘરે જઈ અને આસપાસ માં તપાસ કરતાં શુભાંગીનો ક્યાંય અતો પતો ના મળતા પોતાના ઘર ફંફોડતા જાણવા મળ્યું કે ઘરના કબાટમાં રહેલા ૪૦,૦૦૦/- રોકડ અને લગ્નમાં પહેરાવેલ મગલસૂત્ર , સોનાની વીંટી , ચાંદીના સાંકડા , નાકનો દાણો સહિત કુલ ૯૪૬૦૦/- ની ચીજવસ્તુ ઘરમાં ન મળતા પિતા પુત્ર ને શક પડતાં તેમને આસપાસ તેમજ રેલવે સ્ટે. તેમજ બસ સ્ટે. વગેરે જગ્યા શોધખોળ આદરી હતી, પરંતુ કયાંય ન મળતા નિરાશ થયા હતા,
ત્યાં શુભાંગીના સગાનો ( માસી ) ફોન આવ્યો કે શુભાંગીની માતા ની તબિયત સારી ના હોવાથી તે પોતાના મૂળ વતન મહારાષ્ટ્ર આવે છે. આ વાત દરમ્યાન સાગરે શુભાંગીના માસી ને કહેવામાં આવ્યું કે તમારી દીકરી પહેરેલા ઘરેણાં અને કબાટ માંથી ૪૦,૦૦૦/- રોકડ લઈ અને કોઈ ને કહ્યા વગર ચાલી ગઈ એ આજુકતું લાગે છે,
પણ એક જ દિવસ અગાઉ જ લગ્ન થયા હોય સાગરના પત્ની શુભાંગીની માસી એ જણાવ્યું કે એની માતાની તબાઈયત સારી થાય એટલે હું ત્યાં મૂકી જઈસ અને સાગર વિશ્વાસમાં અવિ ગયો, આ વાત ને એક માંસ વિત્યા બાદ મૂકવા અવવાનું કહેતા ફરીથી એમને નવું બહાનું આપ્યું કે શુભાંગીની બહેનના લગ્ન છે તે પ્રસંગ પૂર્ણ થયે ત્યાં મૂકી જાઈસ.
આ વાત ને પણ થોડા દિવસો વિત્યા બાદ ફરીથી નવું બહાનું આવ્યું કે શુભાંગીની તબિયત સારી નથી અને વધુ સક ત્યારે પડ્યો જ્યારે એમના સગા એ શુભાંગી સાથે વાત ના કરાવતા, સાગર અને તેમના પરિવાર દ્વારા તપાસ વધુ તેજ કરતાં તેમને જાણવા મળેલ કે શુભાંગી તથા મનિશાબેન શિંદે તથા આશાબેન ભોરે એ આજ રીતે લગ્ન કરાવી છેતરપિંડી કરેલ છે. અને આશાબેન તથા મનિશાબેન મહારાષ્ટ્રના ગુન્હામાં ફરાર છે. જે જાણીને પરિવારના હોશ ઉડીગયા અને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોય માટે જામનગર સિટી બી પોલીસ મથકમાં શુભાંગી પ્રભાકરભાઇ શીંદે તથા તેના માતા મનીષાબેન શીંદે તથા આશાબેન ભોર રહે.ત્રણેય મહારાષ્ટ્ર તેમજ પ્રકાશભાઇ ધરમશીભાઇ મારૂ રહે.રાજકોટ તથા વિષ્ણુભાઇ અમદાવાદ તથા સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્રભાઇ ભાટી રાવળદેવ રહે.સુરત આમ છ એ મળી કાવતરૂ રચી સાગર સાથે લગ્ન ડીકલેરેશન નોટરી કરાર કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી રોકડા કુલ રૂ. ૨,૨૦,૦૦૦/- તથા સૌનાનુ મંગલસુત્ર કી.આ.રૂ.૧૯,૦૦૦/- તથા સોનાની વિટી કી. આ.રૂ .૩૪,૦૦૦/- તથા નાકનો દાણો કી.આ.રૂ .૧૬૦૦ / - વિગેરે ઘરેણા અને રોકડ આમ કુલ ૨૭૪૬૦૦/ નું ફુલેકું ફેરવી ગયા જાહેરાત કરાતા પોલિસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: રાજેશ હિન્દુજા