ઝાડેશ્વર કેબલ બ્રિજની નીચેથી ૨ મૃતદેહ મળ્યા: મેઘમણી કંપનીનો લેબર કેમિસ્ટ અને સફાઈ કામદાર પરિણીત મહિલાનું મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી..

  • 7:48 pm March 19, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

 

યુવતીના ગળામાં મંગળસૂત્ર હોય પરિવારજનો મળી આવતા પરિણીત હોવાનું સામે આવ્યું..યુવકના પરિવારની શોધખોર શરૂ..

નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ ઝાડેશ્વર નજીકના નર્મદા નદીના કેબલ બ્રિજના પટ પાસેથી અજાણ્યા યુવક યુવતીના મૃત્યુ મળી આવતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે જેમાં મૃતક મહિલાના ગળામાં મંગળસૂત્ર હોવાના કારણે પરિણીત હોય અને બે સંતાન ની માતા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃતક યુવક પણ કંપનીનો જ હોવાની ઓળખ થતા પોલીસે કાર્યવાહી કરી છે

ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ નજીક આવેલા કેબલ બ્રિજની નીચે નર્મદા નદીના વહેણમાં ૨ મૃતદેહો પાણીમાં તળતા હોવાની જાણ ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવી હતી જેના પગલે ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેબલ બ્રિજની નીચે નર્મદા નદીના વહેણમાં રહેલા બંને મૃતદેહને બહાર કાઢ્યા હતા જેમાં મહિલાના ગળામાં મંગળસૂત્ર હોય જેના કારણે તે પરિણીત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે પુરુષ મૃતકના વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે જોકે બંને યુવક યુવતીના કેબલ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાના કારણે મોત થયું છે કે પછી નર્મદાના વહેણમાં ઊંડાણ સુધી પહોંચી જવાના કારણે આકસ્મિક રીતે મોત થયું છે તે તપાસનો વિષય બની ગયો છે

નર્મદા નદીમાંથી મળી આવેલા બંને મૃતદેહની ઓળખ કરવામાં આવતા 24 વર્ષીય પુરુષ ગૌરાંગ ભૂપેન્દ્ર પટેલ હોવાનું તેમજ મેઘમણી કંપનીમાં લેબર કેમિસ્ટ તરીકે ત્રણ વર્ષથી નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃતક મહિલા કંપનીમાં જ સફાઈ કામદાર તરીકે નોકરી કરતી હોય 38 વરસીય સુમનબેન જ્ઞાનદેવ પાટીલ હોવાનું અને 2 સંતાનની માતા હોવાનું સામે આવ્યું છે અને બંને જણા ત્રણ દિવસ પહેલાં રાત્રીના લગભગ 8 વાગ્યાથી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થયા હોવાનું સામે આવ્યું છે બંને મૃતકોના વાલી વારશો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રાથમિક અનુમાન પ્રેમ સંબંધ હોવાનું લગાવવામાં આવી રહ્યું છે

નર્મદા નદીના વહેણમાંથી યુવક યુવતીના મૃતદેહો મળી આવવાના પ્રકરણમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ વાલી વારસોની શોધખોળ આરંભી છે