અમદાવાદના ધંધુકા નગરપાલિકાના વહીવટદાર મામલતદાર અને ચીફ ઓફિસરનો વેરા વસુલાત માટે સપાટો...

  • 8:03 pm March 19, 2023
રાજેશ પરીખ

 

330 વેરા બાકીદારોને નોટિસ ફટકારી, 17 પાણી કનેક્શનનો કાપી નખાયા, રૂપિયા 5 કરોડ 64 લાખના વેરા વસુલાત સામે રૂપિયા 1 કરોડની વસૂલાત થઈ છે વસુલાત માટે મિલકતો સીલ કરવા સુધીના પગલાં ભરાશે.

અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના વહીવટદાર અને ધંધુકા મામલતદાર ભટ્ટ તથા ચીફ ઓફિસર મુનિયાની સૂચનાથી મિલકતના બાકી ટેક્ષ ધારક નાગરિકો સામે ટેક્ષ વિભાગ દ્વારા વસુલાત માટે કામગીરી શરૂ કરાય છે.

જાણવા મળતી સઘળી માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા નાગરિકો પાસે રૂપિયા 5 કરોડ 64 લાખના વેરાની વસુલાત કરવાની થાય છે જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 1 કરોડ 5 હજાર રૂપિયાની વેરા વસુલાત થઈ છે જેને લઈને વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા રૂપિયા 10 હજારથી વધુ વેરા બાકીદાર 330 નાગરિકોને નોટિસો ફટકારવામાં આવી છે. 
નગરપાલિકાના ટેક્ષ વિભાગના વડા ચિરાગભાઈ આચાર્ય સહિતના કર્મચારીઓ દ્વારા 17 ટેક્ષ બાકીદાર નાગરિકોના નગરપાલિકાના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે આગામી દિવસોમાં વેરા વસુલાત માટે મિલકતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે ઉચ્ચકક્ષાએથી વેરા વસુલાત માટે મળેલા આદેશોના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા કડકાઇથી વેરા વસુલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ધંધુકાના વેપારીઓ પાસેથી 20 કિલો પ્લાસ્ટિક ઝબલાનો જથ્થો પકડાયો રૂપિયા 800 દંડ વસૂલ કરાયો.

ધંધુકા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ભટ્ટ અને ચીફ ઓફિસર મુનિયાની સૂચનાથી સેનેટરી વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર રજી અહેમદ પટેલ દ્વારા પ્લાસ્ટિકના ઝબલા રાખતા વેપારીઓ સામે પગલાં ભરવાના શરૂ કર્યા છે શહેરની દુકાનોમાં ચેકિંગ કરીને 20 કિલો ઝબલાનો જથ્થો પકડી પાડી રુપિયા 800નો દંડ વસૂલ કરાયો હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.