વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાલીતાણામાં ચકલીના માળા તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું...

  • 6:40 pm March 20, 2023
અબ્બાસ વોરા, પાલીતાણા

 

પાલીતાણામાં વર્ષોથી ધાર્મિક, જીવદયા,માનવસેવા, તેમજ વિવિધ સામાજિક સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલ કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલીતાણા ટીમ દ્વારા હર વર્ષની જેમ ઉનાળાના પ્રારંભના દિવસોમાં ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાઓ નો વિતરણ નો કાર્યક્રમ સવારે ૧૦ કલ્લાકે ભૈરવનાથ ચોકમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આ સાથે આજના આધુનિક યુગમાં લોકો પ્રકુતિ અને પર્યાવરણનું જતન કરે એવા સંદેશો આપેલ આ કાર્યક્રમ સાથે વધુમાં પાલીતાણા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રાજળતા અબોલ જીવો ને જરૂરી જગ્યા પર પીવાના પાણી ની  ટાકીઓ મુકવામાં આવશે એમના માટે ગૌસેવા સમિતિ ની પશુ સારવાર હેલ્પલાઈન નંબર ૭૩૭૩ ૧૫૪૧૫૫ પર  યાદી કરવામાં આવશે આજરોજ ૧૦૦૦ જેટલા માળા તેમજ ૧૦૦૦ જેટલા પાણી ના કુંડાઓ નું વિતરણ કરવામાં આવેલ અને શુભ ચિંતક જીવદયા પ્રેમી દાતા પરિવાર નો ટીમ દ્વારા આભાર માનવામાં આવેલ આ તકે  ભરતભાઈ રાઠોડ દ્વારા તમાંમ નો આભાર વ્યક્ત કરેલ