સુરતમાં એકલવાયું જીવન જીવતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભાવનગર બોલાવી બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ..

  • 8:14 pm March 21, 2023

 

સુરતમાં રહેતી એકલવાયું જીવતી યુવતીએ જીવનસાથીની જરૂર હોય જેથી જીવનસાથી મેટ્રોમોરિયલ. સાઈટ ઉપર પોતાનો બાયોડેટા મુકેલ હતો, જે આધારે આ સાઈટ ઉપર સુનિલ પ્રવીણચંદ્ર વોરા સાથે સંપર્કમાં આવેલ, જે બાદમાં બન્નેએ એકબીજાને વિડીયોકોલથી પરિચય મેળવ્યો હતો, જે બાદમાં યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભાવનગર એના ઘરે બોલાવી હતી, જ્યાં સુનિલ પ્રવીણચંદ્ર વોરાએ યુવતીને એક રૂમમાં લઈ જઈ ગંદા ચેનચાળા કર્યા હતા, જેથી યુવતીએ સખત વિરોધ કર્યો હતો છતાં પણ આ નરાધમ સુનિલ વોરાએ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીને જો તું કોઈને કંઈપણ કહેતી નહીં, નહી તો તને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ નીલમબાગ પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ભાવનગર પોલીસે IPC કલમ 376,354A,506 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.