સુરતના આકાશમાં ઉડતા વડના પડછાયાને જમીન પર ઉતારતા ભવાનીવડની સ્થાપના થઈ, જાણો શું છે ઈતિહાસ..?

  • 8:18 pm March 21, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

પ્રમાણે, એક તંત્રજ્ઞ સાધુએ ત્રણ વડ અને બે તાડના ઝાડ સુરતના આકાશમાં ઉડતા કરી દીધા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા.

નવરાત્રિએ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવાનો પર્વ છે. નવરાત્રિમાં માતાજીના નવ જુદાજુદા નવ અવતારની આરાધના કરવામાં આવે છે.

અસુરી શક્તિઓ પર સત્યની જીતના પર્વને દેશભરમાં પારંપરિક રીતે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં 385 વર્ષ પહેલા નવરાત્રિમાં માતાજીના ભવાની સ્વરૂપની આરાધના કરવા હરિપુરામાં ભવાની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આકાશમાં ઉડતા વડના પડછાયાને નીચે ઉતારીને માતાજીના સ્વરૂપમાં તેની સ્થાપના કરાઈ હતી.

જાણો શું છે ઈતિહાસ?

લોકવાયકા પ્રમાણે, એક તંત્રજ્ઞ સાધુએ ત્રણ વડ અને બે તાડના ઝાડ સુરતના આકાશમાં ઉડતા કરી દીધા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા. વૈધભાઈ શુક્લએ આકાશમાં ઉડતા આ વૃક્ષોને શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતાર્યા હતા. હરિપુરા વિસ્તારમાં ઉતારેલા વડને ભવાનીવડ, બેગમપુરાથી મુંબઈ જતા માર્ગ પર ઉતારેલા વડને મુંબઈવડ, સૈયદપુરામાં આગાનો વડ તરીકે પ્રચલિત થયા હતા. જ્યારે જે નીચે ઉતારાયેલા બે તાડ ક્ષેત્રપાળ મંદિર તથા રાવણ તાડ તરીકે ઓળખાયા હતા.

નવરાત્રિમાં દુર્ગા માતાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. પુરાણો અનુસાર મા દુર્ગાના ક્રોધમય સ્વરૂપને કાળકા અને ગૃહસ્થ સ્વરૂપને મા ભવાની કહેવાય છે. આજથી ચારસો વર્ષ પહેલા શહેર પર અસુરી શક્તિના પ્રકોપને કારણે આકાશમાં મોટા વડના પડછાયા દેખાતા હતા. લોકો શહેરના આકાશમાં વડના આભાસને અશુભ માનતા હતા. આકાશમાં વડનો પડછાયો દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો. ભયભીત લોકો હરિપુરામાં રહેલા વેદભાઈ શુક્લ પાસે સમસ્યાના સમાધાન માટે ગયા હતા. 

હિન્દુ શાસ્ત્રો અને વેદોના ઉપાસક વેદભાઈ શુક્લાએ વડના ઝાડને હરિપુરા ભવાનીવાડમાં ઉતાર્યું હતું. બાદમાં ભવાનીવડ તરીકે પ્રસિદ્ધ થયેલા વૃક્ષની બાજુમાં બહુચરા માતાના યંત્રની સ્થાપના કરવામાં આવી હતી. લોકોની વધતી આસ્થાને પગલે 385 વર્ષ પૂર્વ વિક્રમ સંવત 1687માં આસો સુદ ત્રીજના દિવસે ભવાની માતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલમાં મંદિરમાં ભવાની માતા બાલાત્રીપુરા સુંદરી તરીકે પુજાય છે.