રાધનપુરમા ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિનો લીધો નિર્ણય..

  • 9:04 pm June 5, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

 

પાટણ,

પાટણ જિલ્લા નાં રાધનપુરમા ધર્મપત્નીનું અવસાન થતાં પતિએ પત્ની સાથે જીવતી સમાધિ લેવાનો લીધો નિર્ણય લેતા સમગ્ર તાલુકા મા ચર્ચા નો વિષય બનવા પામ્યો છે. મૃતક પત્ની નાં સાથે જીવતા સમાધી લેવાનો નિર્ણય પતિએ લેતાં એક સાથ જીયેંગે એક સાથ મરેંગે જેવો કિસ્સો સામે આવતા સમગ્ર પંથક માં ચકચાર ફેલાઇ જવા પામી હતી.જોકે રાધનપુર પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને  જીવતી સમાધિ લેતા વ્યક્તિ ની અટકાયત કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

પાટણ નાં રાધનપુર માં એક વ્યક્તિ એ પોતાની ધર્મ પત્ની સાથે જીવતી સમાધિ લેવા જતા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. રાધનપુરમાં એક સંત લઈ રહ્યા છે જીવતા જીવ સમાધિ જે ઘટના ને લઇને સમગ્ર પંથક માંચકચાર મચી જવા પામી હતી.રાધનપુર નાં  જીવાભાઈ જગસીભાઈ વાવરિયા દેવીપુજક અંબિકા રોડ જેઓના ધર્મ પત્નીનું કુદરતી નિધન થતા પોતે પણ જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. જે  નિર્ણય તેમના ધર્મપત્ની રૂખીબેનનુ અવસાન થતાં  સમાધિનો લેવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું હતુંમહત્વનું છે કે તેમના ધર્મ પત્ની રૂખીબેન પણ હતા ધાર્મિક સંત અને પતી પત્ની ધાર્મિક રીતે જીવન જીવતા હતા જે બાદ પત્ની નું કુદરતી અવસાન થતાં પતી એ પણ સાથે જીવતા સમાધી લેવાનો નિર્ણય કર્યો હતો જે બાદ પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિ ની અટકાયત કરવામાં આવી હતી.