મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ લોકપ્રશ્નો સાંભળ્યા..

  • 8:56 pm June 6, 2023

 

ભાવનગર,

ઘોઘા, ભાવનગર અને શિહોરના લોકપ્રશ્નો ભાવનગર સરકીટ હાઉસ ખાતે સાંભળશે. રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તા.૬ થી ૮ જુન ઘોઘા, ભાવનગર અને શિહોરના લોકપ્રશ્નો સાંભળશે. આ અંગે રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ઘોઘા તાલુકાના  તા.૬ જુન મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી, ભાવનગરના  તા. ૭ જુન બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી, શિહોર શહેર અને ગ્રામ્ય, આધેવાડા, સિદસરના તા. ૮ જુન બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી સરકીટ હાઉસ ભાવનગર ખાતે તેમના મત વિસ્તાર ભાવનગર ગ્રામ્ય-૧૦૩ના લોકપ્રશ્નો સાંભળશે.