સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામ ખાતે શક્તિવનનું લોકાર્પણ કરાયું
- 8:27 pm June 7, 2023
પાટણ,
પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામ ખાતે આવેલ સગત માતાજીના મંદિરે શક્તિવન ના લોકાર્પણ પ્રસંગ યોજાયો. શક્તિ વનનાં લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી, રાધનપુર ધારાસભ્ય લવીંગજી સોલંકી, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ સક્તાભાઈ ચૌધરી, APMC ચેરમેન ભેમાભાઈ ચૌધરી સહિતની ગરિમામયી ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમાર, ATDO દેવેન્દ્રભાઈ પટેલ, ના.કા.ઇ. સિંચાઇ સ્ટેટ જયદીપસિંહજી, ના.કા.ઇ.પાણી પુરવઠા એલ એસ વાગડીયા, મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી, સા.ન્યા. સમિતિ ચેરમેન બાબુભાઈ રાણા, વન વિભાગમાંથી યોગેશભાઈ જાદવ, VSSM સંસ્થા માંથી શંકરભાઈ બજાણિયા અને હમીરપુરા ગામના સરપંચ કરમણભાઇ ચૌધરી તથા સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા.