જામનગરમાં હોમગાર્ડ્ઝ જવાનો માટે સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

  • 8:43 pm June 7, 2023

 

જામનગર,

જામનગરની વિશ્વ વિખ્યાત આયુર્વેદ સંસ્થા I. T. R. A. ના સહયોગથી જામનગરના હોમગાડૅઝ જવાનો અને અધિકારીઓ માટે સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં હોમગાર્ડઝ જવાનોને ઉત્તમ માનસિક સ્વાસ્થ્યની જાળવણી, તણાવ મુકત જીવન જીવવું અને શીતળ મનથી સેવા- ફરજ બજાવવા અંગેનું માગૅદશૅન આપવામાં આવ્યું હતું. ઉક્ત શિબિરમાં ડૉ. નેહા ટાંક દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન અને યોગા વિષે જાણકારી આપવામાં આવી હતી. શિબિર સત્રમાં સંસ્થાના ડાયરેક્ટર  અનુપ ઠાકર, ડેપ્યુટી ડાયરેક્ટર  મોઢા, નોડલ ઓફિસર  નિલેષ ભટ્ટ, જિલ્લા હોમગાડૅઝ કમાન્ડન્ટ સુરેશ ભીડી, કમાન્ડીંગ ઓફીસર  નરેન્દ્રસિંહ જાડેજા,  હરુભા જાડેજા,  જયેશ રાણા, અન્ય અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં હોમગાડૅઝ જવાનો હાજર રહયા હતા.