તા.૨૧ જૂનનાં રોજ ભાવનગર શહેર કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • 9:38 pm June 7, 2023

ભાવનગર,

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૧/૦૬/૨૦૨૩ ને બુધવારનાં રોજ ૧૧:૦૦ ક્લાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોનાં નિકાલ કરવા માટે પોલીસ અધિક્ષક, ભાવનગરનાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે.

આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોનાં આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆત કરી શકાશે નહી તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.