વિજ્ઞાનઃ એક સિક્કાની બે બાજુ, હકારાત્મક અને નકારાત્મક

  • 5:38 pm July 26, 2021


આ જગતમાં દરેક વસ્તુને બે પાસાં હોય છે ઃ સવળું અને અવળું દરેક ઘટનાને બે નાજુઇઓ હોય છે હકારાત્મક અને અને નકારાત્મક . સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમોધ ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધાભાસી દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. જ્યાં "વિજ્ઞાનના શોધ-સંશોધનનો" રચનાત્મક ઉપયોગ થાય છે .

માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન "એક અમૂલ્ય વરદાન" બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે.

પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો , અખતરાઓ અને પ્રયોગો જયારે ખતરનાક બની હાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારન કરીને માનજાતનીહસ્તી નાબૂદ થઈ જાય. એટલી હદે ફૂલેફાલે છે ત્યારે ત્યાં "વિજ્ઞાન એક ગોઝારો અભિશાપ" બનીને સૌની ઘૃણા ને પાત્ર બની જાય છે.

વીસમી સદીમાં કાળા માથના મા નવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ? ચંદ્ર પર માનવીની અવકાશયત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ વકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને ? સાગરના પેટાળમાં જવાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના ર્નિજન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યના કિરણપણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખૂલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યાં છે !

વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને , ભૂગર્ભ રેલેવ અને એક પાતા પર દોદતી રેલવેથી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે. સુખસગવડના યાંત્રિક સાધનો , કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર ઉઅપરાંત હવે તો યંત્ર માનવ (રોબોટ)ની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન એ માનવજાત માટે એસ્જવરનું વરદાન છે.

પરંતુ એ જ વિજ્ઞાન જ્યારે જીવલેણ શસ્ત્રોનું ઉત્પાદન કરે છે , ઝેરી વાયુનું પ્રસારણ કરે છે . માનવીના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે , કુદરતની અખોટ સંપતિના ભંડારાઉં નિકંદન કાઢી નાખે છે , પીવાના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. અરે ! ચોખ્ખી હવા માટે ફાંફા મારકા માનવીને મજબૂર કરી દે છે ત્યારે , ન કહેવું પડે છે કે માનવી વિજ્ઞાનના હાથે રહેંસાઈ રહ્યો છ્ર ! હાથે કરીને પોતાન પગ પર કુહાડો મારીનેપોતનું જ અસ્તિત્વ જાેખમમં મૂકી રહ્યો છે . બે -બે વિશ્વયુદ્ધોએ કરેલી પાયમલી પછી પણ હજી તો એનાથી અનેકગણી સંહારરક શક્તિ ધરાવતા શસ્ત્રોનો ખડકલો વિશ્વની મહાસત્તાઓ દ્વારા થઈ ચૂક્યો છે ત્યારે નિશ્વાસ નાખીને કહેવું પડે છે.

વિજ્ઞાન શાપરૂપ બનીને ત્રાટક્યું છે ! વસ્તુ વિષય એનો એજ છે પરંતુ એના ઉપયોગનો અભિગમ દ્વિમાર્ગી છે. વૈજ્ઞાનિક શોધે જેમણે કરી છે તેમને તો આપણી લાખલાખ સલામ ! પરંતુ એમની એ અદભુતને અન્નય શોધોને સહારે માનવજાતના અસ્તિત્વને જેઓ જાેખમમાં મૂકી રહ્યા છે અને વિજ્ઞાનના માધ્યમથી વિનાશને નોતરી રહય છે. તેમને તો લાખલાખ ધિક્કાર!

ટૂકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક સરનાત્મક કે સંહારાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવિકપૂર્વક પસંદગી
કરવાની છે. એટલું જ યાદ રાખવાનું છે કે, સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે . તેથી માનવી જાે વિજ્ઞાનની શિધિઓનો સમજપૂર્વક અબે વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે!