ધ્રોલના ડાંગરા ગામે કુરિવાજાેના લીધે પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

  • 4:59 pm July 30, 2021

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી. જાેકે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન ઉ.વર્ષ-૨૪ સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા મંગળવારે ઝમકુ બેને ગળાફાંસો ખાઇ લીધો હોવાની જાહેરાત પતિએ પોલીસમાં કરતા પીએસઆઇ ચુડાસમા રામદેવસિંહ ઝાલા અને ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયા હતો.

પ્રેમ લગ્નના એક જ વરસમાં પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિની પોલીસે અટક કરી છે. પતિએ પત્નીની હત્યા કરી લાશને દોરી પર લટકાવી ગળાફાંસો ખાધાનું નાટક કર્યું હતું અને પોસ્ટ મોર્ટમમાં પતીના નાટક પરથી પરદો ઉઠી ગયો હતો. જેમાં સમાજના કુરિવાજેથી મામલો કતલ સુધી પહોંચ્યો. સમાજના રિવાજ મુજબ યુવકની પાસેથી સાસરિયા પક્ષના માંગતા હતા પૈસા નહીં આપે તો પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે વિચાર્યું કે મારી નહીં તો કોઈની નહીં પછી ખૂની ખેલ ખેલૈયો હતો.