પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું કોરોનાથી નિધન

  • 5:12 pm January 5, 2022

જામનગરના રહેવાસી જાડેજા મધ્યમ ગતિના ઝડપી બોલર અને જમણા હાથના બેટ્‌સમેન હતા. તેમણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે આઠ મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત ડીએસપી હતા. અંબાપ્રતાપસિંહજી જાડેજાએ આઠ ફર્સ્‌ટ-ક્લાસ મેચમાં ૧૦૦ રન બનાવ્યા અને ૧૦ વિકેટ લીધી. તેનો સર્વોચ્ચ સ્કોર ૨૭ રન હતો, જ્યારે બોલિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૪૩ રનમાં ત્રણ વિકેટનું હતું. તેમની કારકિર્દી ૧૯૭૩-૭૪ થી ૧૯૭૪-૭૫ સુધીની હતી. એટલે કે તે ફર્સ્‌ટ ક્લાસ ક્રિકેટ માત્ર એક સિઝન માટે રમ્યા હતા. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે ઘણા ક્રિકેટરોએ જીવ ગુમાવ્યા છે.

જેમાં સૌરાષ્ટ્ર-મુંબઈના રાજેન્દ્રસિંહ જાડેજા, રાજસ્થાનના વિવેક યાદવ, ભારતના પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ જેવા નામોનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હીના ક્રિકેટર સંજય ડોબલ, રેલવેના ઉમેશ મનોહર દાસ્તાને, કિશન રૂંગટા, રવિ નારાયણ પાંડા, પ્રસાદ આમોનકરનું પણ કોરોનાને કારણે મોત થયું છે. કોરોનાના કારણે ઘણા ખેલાડીઓના પરિવારના સભ્યોના મોત થયા છે. જેમાં અભિનવ બિન્દ્રાના દાદા ટીકે સુબ્બારાવ, પ્રિયા પુનિયાની માતા, આરપી સિંહના પિતા શિવ પ્રસાદ સિંહ, પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલા, ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ સાકરિયા, ઓડિશાના ભૂતપૂર્વ કેપ્ટન પ્રશાંત મોહાલનાથના પિતા કૃષ્ણા મહાપુરુષના બહેન, કૃષ્ણા મહાપુરુષના પિતાનો સમાવેશ થાય છે.ડિસેમ્બર ૨૦૧૯માં સામે આવેલા કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જેમાં અનેક ખેલાડીઓનું પણ મોત થયું હતું. જેમાં વધુ એક ક્રિકેટરનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું કોરોનાથી નિધન થયું છે. વલસાડમાં હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતસિંહજી જાડેજાનું મંગળવારે કોવિડ-૧૯ ચેપને કારણે અવસાન થયું હતું. તેઓ ૬૯ વર્ષના હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ આ માહિતી આપી હતી. જીઝ્રછ એ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જણ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે.

કોવિડ-૧૯ સામે લડતા આજે વહેલી સવારે તેમનું વલસાડમાં અવસાન થયું હતું.’ ભારતીય ક્રિકેટ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)ના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે શોક સંદેશમાં જણાવ્યું હતું કે, ‘અંબાપ્રતાપસિંહજી એક અદ્ભુત ખેલાડી હતા અને મારી તેમની સાથે ક્રિકેટ પર ઘણી વખત વાતચીત થઈ હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.