ભરૂચના આંબેડકર ભવન ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ડાયરેક્ટર અને નવા સભ્યોએ શપથ ગ્રહણ કર્યા

  • 4:41 pm May 25, 2022

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન, ફેડરેશન 3-એના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, ભૃગુ સહેલી ગ્રુપ અને યંગ જાયન્ટ્સનો શપથ ગ્રહણ સમારંભ ભરૂચના આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. જેમાં ફેડરેશન ચેરમેન બાલકૃષ્ણ શેટ્ટીએ પ્રદીપ રાવલ, દિક્ષિતા ઘીવાલા, દિગ્વિજયસિંહ ઝાલાને પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા. ત્રણેય ગ્રુપના ડાયરેક્ટર અને નવા સભ્યોને ફેડરેશન ઓફિસર દત્તા ગાંધી અને જગદીશ ભાવસારે શપથ લેવડાવ્યા હતા.

વિદાય લેતા પ્રમુખ જગદીશ ભાવસાર અને દત્તા ગાંધીએ એમના વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરી સભ્યોને સન્માનિત કર્યા હતા. પૂર્વ ફેડરેશન ચેરમેન વિજય પટેલ અને અશોક બારોટે જાયન્ટ્સની ગતિવિધિની જાણકારી આપી હતી. જાયન્ટ્સ ગ્રુપ ભરૂચના ઓનરરી મેમ્બર તરીકે લલિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. જાયન્ટ્સ ભરૂચના ઘનશ્યામ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આમંત્રિતો, મહેમાનો અને જાયન્ટ્સ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
રિઝવાન સોડાવાલા ભરૂચ