સુરત માં નારી તું કલ્યાણ કારી સન્માન સમારોહ યોજાયો

  • 4:51 pm May 25, 2022

રિપોર્ટર એજાજ શેખં

સુરત ના હીરાબાગ ખાતે આવેલા જે ડી ગાબાણી હોલ ખાતે નારી તું કલ્યાણ કારી નામનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં સુરત ની પ્રતિભાશાળી મહિલાઓ નું સન્માન કરાયુ હતું . કાર્યક્રમ માં સુરત ના ડીસીપી ઉષા રાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા . સુરત મા ભારત સરકાર નોટરી એડવોકેટ કિશોર ભાઈ સોજીત્રા તેમજ કે ટુ બ્યુટી બાર ના કેતન હિરપરા દ્વારા હીરાબાગ સ્થિત જે ડી ગાબાણી હોલ માં નારી તું કલ્યાણ કારી નામનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં સુરત ની 25 જેટલી પ્રભાવશાળી યુવતીઓ અને મહિલાઓ નું સન્માન કરાયું હતું . જેમાં સુરત ના ડીસીપી ઉષા રાડા ખાસ ઉપસ્થિત રહી સન્માન કાર્યક્રમ માં જોડાયા હતા . કિશોર ભાઈ સોજીત્રા અને તેમના બને પુત્રો ની લગ્ન ની વર્ષગાંઠ હોવાથી આ કાર્યક્રમ તેના દ્વારા યોજવામાં આવ્યો હતો . આખા દિવસ દરમ્યાન કિશોર ભાઈ સોજીત્રા એ નિઃશુલ્ક લોકો ને નોટરી કરી આપી હતી . અને આ કાર્યક્રમ થકી વધુ માં વધુ યુવતીઓ ને પ્રોત્સાહન મળે અને તે આગળ જાય તે માટે નો હતો . આ કાર્યક્રમ માં પ્રફુલ ભાઈ શિરોયા , શરદભાઈ ગાંધી , પ્રાંજલ બેન પટેલ , અંકિતા બેન મુલાણી , પિયુષ ભાઈ ધાનાણી સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક ક્ષેત્રો મા પ્રતિભા ધરાવનાર મહિલાઓ અને યુવતીઓ ને સન્માનિત