સદવિચાર ફાઉન્ડેશન બનાસકાંઠા ના ચેરમેન રાહુલ કોઈટીયા એ પોતાના જન્મદિવસ ને સેવાદિન તરીકે કરી ઉજવણી

  • 3:09 pm May 26, 2022

મોક્તેશ્વર ડેમ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું

બનાસકાંઠામાં કાર્યરત સદવિચાર ફાઉન્ડેશન દ્વારા અવાર નવાર લોક ઉપયોગી અને સેવા કાર્યો કરવામાં આવતાં હોય છે જેમાં શિયાળામાં ધાબળા વિતરણ, આદિવાસી વિસ્તારમાં બુટ-ચપ્પલ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યા કરતાં આ ફાઉન્ડેશન ના સંયોજક રાહુલ કોઈટીયા ના જન્મદિવસ ની ઉજવણી પણ સેવાકીય કાર્યા દ્વારા થાય તે માટે થઈ જન્મદિવસ ને સેવાદિન તરીકે ની ઉજવણી મોક્તેશ્ર્વર ડેમ ખાતે યોજાઈ હતી સરસ્વતી નદીના પટમાં આવેલ મોક્તેશ્ર્વર ખાતે લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે અને જેનાં કારણે અહીં કચરા નું પ્રમાણ વધી જતું હોય છે જેના કારણે જળચર જીવ જંતુઓ માટે તે ખૂબ જ નુકશાન કારક હોય છે જેને લઈ સદવિચાર ફાઉન્ડેશન ના સંયોજક દ્વારા બે દિવસ પહેલાં આ સ્થળ ની મુલાકાત લેતા તેઓએ અહીં સફાઈ કરવા માટે ની વાત પોતાના મિત્ર વર્તૃળ માં કરેલી જેથી તેમના મિત્રો દ્વારા આજરોજ અહીં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ પણ ત્રણ વર્ષ પહેલાં આ ફાઉન્ડેશન દ્વારા અહીં નદીના તટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરેલુ.સદવિચાર ફાઉન્ડેશન ના સંયોજક રાહુલ કોઈટીયા ના ત્રીસ વર્ષ પૂર્ણ કરી એકત્રીસ વર્ષ માં પ્રવેશતા જન્મદિવસ ને યાદગાર બનાવવા માટે થઈ તેમના ફાઉન્ડેશન તેમજ વિજયભાઈ  ચક્રવર્તી  પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા,પરેશભાઈ ચૌહાણ વેડનચા,લાલગીરી ગૌસ્વામી,સાગરભાઈ પુરબિયા (લોકગાયક),આનંદભાઈ વાણીયા,રોનક પાંચડા, તેમજ ચામુંડા માતાજી મંદિર ના મહંત શ્રી મધુરગીરી બાપુ એ હાજરી આપી હતી.

શાહબુદ્દીન શિરોયા