ગુજરાત રાજ્ય ના શિક્ષિત બેરોજગારો ને માસિક ભથુ આપવા બાબત આવેદન પત્ર અપાયું....

  • 9:06 pm June 9, 2022

 

 

ગુજરાત રાજ્યમાં અત્યારે લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો છે, જેમાં ઉત્તરોત્તર સતત વધારો થઈ રહ્યો છે, તેની સામે રોજગારીની તકો, નોકરીઓ ખુબજ ઓછા પ્રમાણમાં હોઈ, આ ગંભીર સમસ્યા ને ધ્યાને લઇ જ્યાં સુધી શિક્ષિત બેરોજગરોને કોઈ સ્થાયી નોકરી, સ્વરોજગારી કે આજીવિકાનું સાધન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમામ શિક્ષિત બેરોજગરોને માસિક રૂપિયા ૫૦૦૦ થી રૂપિયા ૧૦,૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્થું દરેક ની શૈક્ષણિક લાયકાત ને ધ્યાને રાખી ચૂકવવા રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ. લ.પરમાર સિદ્ધપુર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

 

રિપોર્ટર : અનિલ રામાનુજ