નિઝરનાં વેલદા ગામ બાદ મોરંબા ખાતે મનરેગાનું કોભાંડ સામે આવ્યું..
- 6:59 pm March 14, 2023
મોરંબા પંચાયતમાં બાંધવામાં આવેલ રાજીવ ગાંધી ભવનમાં થયો ખુલ્લો ભ્રષ્ટાચાર સામે આવી છે. ગ્રામજનો દ્વારા માહિતી માગતા જણાઈ આવ્યું છે કે વર્ષ 2010/11માં મંજુર કરવામાં આવ્યું હતું જે રાજીવ ગાંધી ભવન આજ સુધી ખંડિયર હાલતમાં પટી રહ્યું છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા મથકે ઉપલા અધિકારી પાસે માહિતી માગી હતી. તેમણે જણાવ્યું કે રાજીવ ગાંધી ભવન માટે ₹16,15,000 રું મંજુર થયેલ છે પણ આજદીન સુધી રાજીવ ગાંધી ભવનનું કામ બાકી છે. સરકારના ગ્રાન્ટમાંથી મળેલ રકમ ગઈ ક્યાં..!? કેમ રાજીવ ગાંધી ભવનનું મકાન અધુરું પડ્યું છે..!? સરકાર લાખોની ગ્રાન્ટ મંજૂર કરે છે ગામના વિકાસના માટે તો આવી લે ભાગુ એજન્સી દ્વારા આવા અધૂરા કામ છોડીને સરકારના નાણાનો ચૂનો લગાવી જતી હોય છે તો ક્યારે થશે ગામનો વિકાસ..!? શું આ બાબતને જવાબદાર તંત્ર ધ્યાને લેશે. કે પછી ચલતા હે ચલને દો, કહીને સરકારના લાખો રૂપિયાનો આવી જ રીતે દૂર ઉપયોગ થતો રહેશે. આવા ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયાનો ધુમાડો કરનાર સામે યોગ્ય તપાસ હાથ ધરી કાર્યવાહી કરશે કે શું એ તો આવનાર દિવસોમા ખબર પડશે..!