ધંધુકા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સદ્ભાવી સત્સંગી સભા યોજાઈ

  • 7:35 pm June 26, 2023
રાજેશ પરીખ

 

 

અમદાવાદ જીલ્લા ના ધંધુકા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સદ્ભાવી સત્સંગી સભા કરવામાં આવી હતી. 

ગઈકાલે  BAPS સ્વામિનારાયણ મંદિર, ધંધુકા ખાતે સદ્ભાવી મુમુક્ષઓની વિશ્ષ્ટ સભા હતી. એ સભા માં સારંગપુર થી વરિષ્ઠ સંત પૂ.અક્ષરચરણસ્વામી, વિદ્વાન સંત પૂ આદર્શજીવન સ્વામી, પૂ મુનીસેવાસ્વામી તથા પૂ અમૃતસેવકસ્વામી એ કથા નો લાભ આપ્યો હતો. આ સાથે સારંગપુર થી 50 સંતોએ પધારી ને સત્સંગ સભા નો લાભ આપ્યો હતો. અને મોટી સંખ્યામાં હરિભક્તો એ સંતો નુ રસ પાન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે સહુએ ખીચડી ઉત્સવ નો મહાપ્રસાદ નો લાભ સર્વે હરિભકતો લીધો હતો.