ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું..
- 9:50 pm July 24, 2023
સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી દર્શન માટે આવતા શિવ ભક્તો
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે જેમાં અધિકમાસમાં વિશેષ લોકોની સંખ્યા જોવા મળી હતી
અધિક માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તો માં નર્મદામાં સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય નાદથી મંદિર પરિસર ગુજી ઉઠ્યો હતો
સાવલી વાળા સ્વામીજીએ 12 માસમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું
ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે અનેક કોટરો આવેલી છે જેમાં એક કોટર પર અનેક સાધુ-સંતો અને પરિક્રમા વાસીઓએ દૂર દૂરથી આવીને આશરો સ્થાન મેળવ્યા હોય છે આ સ્થાનમાં નર્મદાના પ્રકૃતિક સૌંદર્ય અને બંને તરફથી આવતા પવિત્ર જરના મિલન સ્થાન તરીકે પણ જાણીતું છે સાથે જ અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે પણ આ સ્થળ મહત્વનું છે ત્યારે આ સ્થળની પવિત્રતા થી આકર્ષિત થઈ પરમ પૂજ્ય યોગીરાજ યાગ્નિનિકજી એ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે એક વિકાસ અંગે એક ટ્રસ્ટની રચના કરી હતી પરંતુ તેમનું નિઘન થયું હતું ત્યારબાદ તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981 માં અખાત્રીજના પાવન દિવસે પરમ પૂજ્ય સંત સ્વામી સાવલી વાળા મહારાજના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલય નું ખાતમૂરર્ત થયું હતું આ વિશાળ શિવાલય નું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે તે માત્ર 12 માસના જ સમય દરમિયાન સાકાર કરવામાં આવ્યું હતું? ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર દિવસે નીલકંઠેશ્વર ભુવનનું ખાતમુરત કરવામાં આવ્યું હતું તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે
પરિક્રમા વાસીઓ માટે આદર્શ સ્થાન નર્મદા માતાની પરિક્રમાવાસીઓની સંખ્યા દિનભર દિન વધી રહી છે પરિક્રમા વાસીઓ તેમની પરિક્રમા દરમિયાન હસતા મોઢે અને ભક્તિમાં લીન રહી અનેક તકલીફો સહન કરતા હોય છે તેવા સમયે પરિક્રમા વાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમા વાસીઓ આ મંદિર ખાતે રોકાણ રોકાતા હોય છે
નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમાવાસીઓની નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધા ની નિસુલક મંદિર પરિષદ દ્વારા આપવામાં આવતી હોય છે.