સુરતમાં સીટીબસના દરવાજા પર ઉભેલા યુવાનનું ગબડી પડતા મૃત્યુ
- 9:47 pm July 27, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત
સુરત,
સુરતનાં કતારગામ વિસ્તારમાં સિટી બસમાંથી એક મુસાફર રોડ પર પડતાં બસના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સીસીટીવીમાં કેદ થયેલી આ તસવીરોમાં દેખાયું છે કે બુધવારે બપોરે એક વાદળી રંગની બસ રોડ પરથી પસાર થઈ રહી હતી.આ દરમિયાન બસના દરવાજે ઉભેલો એક મુસાફર અચાનક રોડ પર આવી ગયો અને બસનું પાછળનું ટાયર તેના ઉપર ચડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંસમાચાર મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવકની ઓળખ સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામ નગર સોસાયટીમાં રહેતી 38 વર્ષીય સુબ્રતી સફરખાન તરીકે થઈ હતી. જેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ નંબર 254માં ચડ્યા બાદ કતારગામ ફાટક પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો.