બનાસકાંઠાનું યાત્રાધામ અંબાજી બન્યુ ગંદકીનુ હબ, સ્થાનિક લોકો ત્રાહિમામ..

  • 8:17 pm July 28, 2023
જીતેન્દ્ર સોલંકી | દાંતા

 

બનાસકાંઠા,

યાત્રાધામ અંબાજીના અનેક વિસ્તારોમાં ગંદકી ખદબદી ઉઠી છે અનેકવાર ગ્રામજનોએ ગ્રામપંચાયતમાં રજૂઆત કરી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ગયું હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીમાંથી ગંદગીનો નિકાલ કરવામાં આવે અને યાત્રાધામ અંબાજી સહી માયને સ્વચ્છ સુંદર થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.વિશ્વ વિખ્યાત શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું માં અંબાનું ધામ અંબાજી. દેશ-વિદેશથી લોકો માં જગત જનનીના દર્શન કરવા અંબાજી આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર ના આજુ બાજુ ને છોડી સમગ્ર અંબાજી ગંદકીથી ખદબદી ઉઠયું છે જેના લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાલ માં અંબાજી ગ્રામ પંચાયત ની કામગીરી વહીવટદાર ના હસ્તે છે. ઘણી વગત અંબાજી ના સ્થાનિક લોકો દ્વારા અંબાજી ગ્રામ પંચાયત માં મૌખિક અને લેખિત અરજીઓ અવાર નવાર કરવામાં આવે છે પરંતુ અંબાજી ગ્રામ પંચાયત કોઈપણ જાતનું ધ્યાને લેતું નથી. જેને લઇ યાત્રાધામ અંબાજી દરેક વિસ્તારો માં ગંદકી ની સ્થિતિ ખુબજ વિકટ બની રહી છે. હાલ માં તો વરસાદી પાણી નો ભરાવ અને ગન્દગી ના લીધે મોટો રોગચાળો ફાટે એવી સ્થિતિ અંબાજી ની બની ગઈ છે. અંબાજી ના આંતરિક રહેણાંક વિસ્તારો લાંબા સમય થી ગંદકી અને ભરાવદાર ગટરો થી ત્રાહિમામ પુકારી રહ્યાં છે. પણ અંબાજી ગ્રામ પંચાયત ના મુખેથી માખી ઊડતી ના હોય તેવું દેખાઈ રહ્યું છે. અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર અને કર્મચારીઓ યાત્રાધામ અંબાજીને સ્વચ્છ સુંદર અને ગંદકી મુક્ત કરશે ખરા કે ખાલી કાગજ પર અને નેતાઓને ખુશ કરવા માત્ર નાટકો કરી અંબાજી ગ્રામજનોને મૂર્ખ બનાવી રાખશે.!