વિરમગામના મેલજ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષયક પાક પરિસંવાદ યોજાયો

  • 9:38 pm September 27, 2023

 

અમદાવાદ,

બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગ અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાયેલ પરિસંવાદમાં ૨૫૦ જેટલા ખેડૂતો સહભાગી થયાં

બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગ અમદાવાદના સંયુકત ઉપક્રમે વિરમગામ તાલુકાના મેલજ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષયક પાક પરિસંવાદ યોજાયો. આ પરિસંવાદમાં વડોદરા વિભાગના સંયુકત બાગાયત નિયામક ડો.જે.એમ. તુવાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પોતાના અનુભવો અને વિવિધ આયામો વિશે પ્રત્યક્ષ નિદર્શન થકી તેમને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના ૨૫૦ જેટલા ખેડૂતો સહભાગી થયા હતા.