ઉમરાળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • 9:12 pm November 20, 2023

 

"સ્વચ્છતા હી સેવા" અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જન જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ જાહેર સ્વચ્છતા,કચરો એકઠો થતો હોય તે જગ્યાની સફાઈ- લોકો ઘરે જે ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જન જાગૃતિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, શાળાઓ, જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે.