ભાવનગર ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ જાન્યુઆરીના રોજ યોજાશે

  • 8:23 pm January 5, 2024

 

રાજય સરકારના આદેશ અનુસાર તા.૨૪/૦૧/૨૦૨૪ ને બુધવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે કલેકટર, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા. ૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી જે સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.