સરકારની નવી શિક્ષણ પ્રણાલીમાં સમાવિષ્ટ બાબતો લોકભારતીની પરંપરા છે : રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી
- 8:26 pm January 5, 2024
ભાવનગર જિલ્લામાં આવેલી લોકભારતી સણોસરા ખાતે હાલ મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારની નવી શિક્ષણ પ્રણાલીમાં સમાવિષ્ટ બાબતો લોકભારતીની પરંપરા છે.
મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ મોરારિબાપુ દ્વારા રામકથાના માધ્યમથી સંસ્કૃતિ અને સંસ્કાર પહોંચાડવાની યાત્રાને વંદના કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ સાથે રાષ્ટ્રમાં નવી શિક્ષણ પ્રણાલી આવી છે, જેમાનું કાર્ય લોકભારતીમાં થઈ રહ્યું છે.
સંસ્થાના સ્થાપકોના પુણ્ય સ્મરણ સાથે પ્રકૃતિ અને જન જન સુધી જોડાયેલ ગાંધી મૂલ્યો સાથેના સર્વોદય વિચારની બુનિયાદી શિક્ષણ દ્વારા રાષ્ટ્રવાદ અને રામનો સુયોગ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો.
લોકભારતીના વડા અરુણભાઈ દવે સાથે રાજેન્દ્રભાઈ ખીમાણી તથા વિશાલભાઈ ભાદાણીએ શિક્ષણ મંત્રી નેં અહીંની પ્રાસંગિક વિગતો આપી હતી.