આમોદની અપના નગર સોસાયટીમા ગટરના પાણી ઉભરાતા સ્થાનીકોમા રોષ વ્યાપી જવા પામ્યો છે..

  • 5:23 pm January 7, 2024
નઈમ દિવાન

 

આમોદ નગર મા આવેલ અપના નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદી ગટર નુ પાણી ઉભરાતી હોય તેમજ ગંદા પાણી ની ગટર ના પાણી સોસાયટીમા ઠેર ઠેર ભરાવા કારણે રોગચાળો ફાટી નીકળે  તેવી દહેશત સ્થાનિક લોકો મા જોવા મળી રહી છે  જે અંગે ની ફરીયાદ જાડી ચામડી ધરાવતી આમોદ નગરપાલિકાની કચેરીમા લેખીતમા તથા મૌખિકમા સાસોયટીના રહીશોએ આપી હતી જેનાં પગલે પંથક ના લોકોમા નગર પાલિકાના જાડી ચામડી ધરાવતા અધીકારીઓ તથા પદા અધિકારી ઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે જયારે આવનાર દિવસોમાં સમસ્યા નો ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સોસાયટી ના રહીશો દ્વારા આપતા ચકચાર મચી જવા પામી છે. આ અગાઉ પણ અઠવાડિયા મા આમોદ ના વોર્ડ નંબર પાંચ ના વિસ્તાર માં જ પિવા નાં પાણી માં ગટર નુ પાણી મિશ્રણ થતાં  રોગચારો ફેલાવા ની ભિતી સેવાતા લોકો માં આક્રોસ જૉવા મળી રહ્યો છે  

નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જયારે કેટલાક વિસ્તાર માં આમોદ નગર માં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા  વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ. અપના નગર સોસાટીના વિસ્તારમાં છેલ્લા દસ દિવસથીપીવા નાં પાણી માં ગંદુ પાણી   આવતા લોકો માં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો હતો.વિસ્તારના લોકો એ એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ / ઉપપ્રમુખ / એસ.આઈ, ને સ્થળ પર જે તે સમયે બોલાવી  પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ  દ્વારા કર્મચારીઓને સ્થળ પર જ સૂચના આપવા માં આવી હતી પરંતું આજ દિન સુધી નિકાલ નાં આવતા લોકો માં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરનાં રહીશો  એ આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી નગરજનોને પોતાના સ્વસ્થય અને રોગચારા નો ભોગ બનવું પડે છે તેમ તેમને મીડિયા સમક્ષ અક્રોષ વ્યકત કરતાં જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે જો આ પ્રશ્નનો  ઉકેલ જો આવતા ત્રણ દિવસમાં નિરાકરણ  નહીં આવે તો નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.