ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે નો સેવા કેમ્પ યોજાયો
- 7:00 pm January 11, 2024
520 થી વધુ વ્યક્તિઓની દિવ્યાંગતા ની ચકાસણી કરવામાં આવી
ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ૧૪-દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દિયોદર તાલુકાના તમામ ગામોના અને ડીસા તાલુકાના ૧૭ ગામોના દિવ્યાંગ વ્યક્તિઓ માટે ના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ
આયુષ્માનભવ આયુષ્માન ભારત હેલ્થ સેન્ટર દિવ્યાંગ કેમ્પ માં આરોગ્યના વિવિધ વિભાગના નિષ્ણાતો ની ઉપસ્થિતિમાં દિવ્યાંગતા પ્રમાણપત્ર એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે ગુરૂવારના રોજ યોજાયેલા કેમ્પ માં 520 થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર મળવાપાત્ર છે કે કેમ? તે અંગેની કેટેગરી નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આગામી સમય માં આ દિવ્યાંગ વ્યક્તિઓ ને પ્રમાણપત્ર મળવાની સાથે દિવ્યાંગ લાભાર્થીઓ ને લાભ મળવા પાત્ર રહેશે. આ કેમ્પમાં કેશાજી ચૌહાણ ધારાસભ્ય દિયોદર, કિર્તીસિહ વાધેલા જીલ્લા પ્રમુખ ભાજપ, બાબુભાઈ પાનકુટા, ભીલડી પીએસઆઇ. એ કે દેસાઇ, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પનસિંહ સોલકી,મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, ડીસા ટીએચઓ પી.એમ.ચૌધરી, દિયોદર ટીએચઓ આર.એમ. સ્વામી, ભીલડી સીએચસી અધિક્ષક ડો પ્રિયાંક પટેલ, લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગભાઈ જોષી, દિયોદર મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોષી તેમજ દિયોદર ભાજપ મંડળ સહિત હોદ્દેદારો અને કાર્યકરો તથા બોડી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે લાભાર્થીઓ માટે ચા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની કામગીરી લોકોએ બિરદાવી હતી અગાઉ પણ લાખણી તાલુકામાં આ રીતનો કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.