એકાદશી નિમિત્તે સાળંગપર શ્રીકષ્ટભંજનદેવ દાદાને કાળી-લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો

  • 6:29 pm March 7, 2024
વિપુલ લુહાર

 

હનુમાનજીદાદા ને 2000 કીલો દ્રાક્ષ નો શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો..

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે તા.7-3-2024ને  ગુરૂવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દ્રાક્ષના વાઘા ધરાવી દાદાના સિંહાસનને લીલી દ્રાક્ષનો શણગાર કરી સવારે 5:45 કલાકે  આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી  તથા સવારે 7 કલાકે લીલી-કાળી 2000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.  જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.