વડીયાના યુવાનનું હાર્ટ અટેકને કારણે જેતપુરમાં મોત

  • 9:41 pm March 8, 2024
સુરેશ ભાલીયા

 

વડિયાથી જેતપુર છકડો રીક્ષામાં આવી રહેલ યુવાનને રસ્તામાં છાતીમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેમને હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ધનાભાઈ રાઠોડ ઉવ. ૩૬ નામના યુવાનને ગતરાતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો રાતે વડિયા હોસ્પિટલમાં  પ્રાથમીક સારવાર લીધા બાદ રાહત થઈ જતા ઘરે ચાલ્યો ગયો હતો  છકડો રિક્ષામાં જેતપુર હોસ્પિટલમાં ડોકટરને બતાવવા આવતી વેળાએ ફરી હુમલો આવ્યો જેતપુર સરકારી હોસ્પિટલે ડોકટરે તપાસી મૃત જાહેર કર્યો નાની ઉંમરમાં હૃદયરોગના હુમલા આવવાનું પ્રમાણમાં વધારો ચિંતાનો વિષય બની ગયો છે.