જામનગરના સાંસદ પૂનમ માડમે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- 7:09 pm April 5, 2021
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જાેકે, રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજાશમાં ચાલી રહી છે, ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે આજે સોમવારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.
કોરોના સામેની લડાઈમાં રસી અસરકારક સાબીત થઈ રહી છે. સાસંદ પૂનમ માડમે જણાવ્યું કે, દેશમાં વેક્સિનના આ તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોનાની વેક્સિન એ સ્વદેશી બનાવટની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશમાં તમામ લોકોને કોરોનાની વેક્સિન મળી રહે તે માટે અગાઉથી પ્લાનિંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે અન્ય દેશોને પણ કોરોનાની વેક્સિન આપી છે. ત્યારે સાંસદે તમામ લોકોને વેક્સિન લેવાની અપીલ કરી હતી.