કોરોનાના વધતા કેર વચ્ચે વડાપ્રધાન આઠ એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

  • 7:45 pm April 5, 2021

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮ એપ્રિલે એકવાર ફરી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સાથે જાેડાયેલા મુદ્દા અને રસીકરણ પર ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં કબિનેટ સચિવ, પીએમ મોદીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.