ચીફ ઓફિસર દ્વારા રાત્રીના સમયે ઓચિંતી મુલાકાતથી ઝાલોદ નગરપાલિકા સ્ટાફ T20 જેવા મોડ પર
- 8:41 pm August 2, 2023
પંકજ પંડિત
દાહોદ,
મુવાડામાં નર્મદા નગર, જલારામ નગર, સ્વામી વિવેકાનંદજેવી સોસાયટીમાં 45 દિવસથી લાઈટ બંધ હતી એ માત્ર 24 કલાક કરતા પણ ઓછા ગણતરીના કલાકોમાં લાઈટ ચાલુ થઈ ગઈ. લોકો કુતુહલમાં કે જો કામ કરે તો બધું શક્ય છે. હજી 3 દિવસમાં નગર માં જેટલી પણ લાઇન બંધ છે એ ચાલુ થઈ જશે એવી ખાતરી ઇ.ચીફ ઓફિસર હઠીલા દ્વારા ટેલિફોનિક આપવામા આપેલ છે. લોકો ટેક્સ ભરે છે તો સુવિધા આપવી એ આપણી નૈતિક જવાબદારી છે. હજુ જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ છે તે દરેક જગ્યાએ લાઇટ ચાલુ થઈ જશે અને ન થઈ હોય તો નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરી જે તે વિસ્તારની સાચી હકીકતની જાણકારી આપવી જેથી શક્ય હોય તે બધા વિસ્તારમાં લાઇટ ચાલુ કરી શકાય.