ભાવનગર મહાનગરપાલિકા દ્વારા "વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું" આયોજન કરવામાં આવ્યું

  • 8:54 pm February 6, 2024

 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 6-2-24 ને મંગળવારે તખ્તેશ્વર વોર્ડમાં,  તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ સનાતન ધર્મ હાઇસ્કુલ વડવા ખાતે "વિકસીત ભારત સંકલ્પ યાત્રાનુ" આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડીયા, શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ ,નેતા કિશોરભાઈ ગુરુમુખાણી તખતેશ્વર વોર્ડના સભ્યઓ, કમિશનર ઉપાધ્યાય, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, પત્રકારો, જુદી -જુદી ચેનલના ફોટોગ્રાફરઓ તેમજ જાહેર જનતાએ વિશાળ પ્રમાણમાં લાભ લીધેલ હતો. ફુલ 42 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો.