ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવાના મામલે ચૈતર વસાવા પરિવારની મુલાકાતે..

  • 9:23 pm February 9, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા હાઇકોર્ટ, મહિલા આયોગ, માનવ અધિકાર પંચમાં જવાની પણ આપી ચીમકી..

ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાન ને સીલ  કરવામાં આવતા વિષપાન કરવાના મામલે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા એ પરિવાર ની મુલાકાત લઈ સાત્વના પાઠવવા સાથે ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.ઝાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાન ને સીલ  કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે.ત્યારે આપ ના ધારાસભ્ય આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા તેમજ આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્યો સાથે આદિવાસી મહિલા ના ઘરે જઇ તેની આપવીતી સાંભળી હતી. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મના વટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર હાઇકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની આપી ચીમકી આપી વિધવા મહિલા એકલી નથી ભરૂચ જિલ્લાના તમામ લોકો તેની સાથે હોવાનું  ચૈતર વસાવા એ જણાવી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.