સાબરકાંઠા જિલ્લામા વડાપ્રધાન ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

  • 3:56 pm February 10, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

હિંમતનગર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યવી.ડી ઝાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયોનજિલ્લામાં હિંમતનગર, ઇડર, તલોદ અને ખેડબ્રહ્મા ખાતે કાર્યક્રમ યોજાયો હતોસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ. પી. એમ.સી ખાતે ધારાસભ્ય વી. ડી. ઝાલાની અધ્યક્ષતામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસ ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય વી. ડી ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું રોલ મોડલ છે. દેશમાં કોઈ ગરીબ ના રહે તેની ચિંતા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી કરે છે. ઘરનું ઘર દરેક ને મળે તે નિર્ધાર કર્યો છે. વહીવટમાં પારદર્શકતા આવે તે માટે ઓનલાઈન માધ્યમ થકી લાભાર્થીને તેના બેંક ખાતામાં પૈસા  જમા થાય  છે. તમામ સુવિધા સાથેનું મકાન આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ થકી પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના  ગરીબ લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ આપવામાં આવ્યા છે. શહેરો ઝૂંપડપટ્ટી મુક્ત બને તે માટે પાકા મકાન આપવામાં આવ્યા છે.ખેડૂતોને ખેતી માટે વીજળી આપી છે. મહિલા અનામત વગેરે  સરકાર દ્વારા આપી વિકાસ સાધ્યો છે.

આ પ્રસંગે અગ્રણી  સિદ્ધાર્થ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે,ઘર વિહોણા લોકો જ ઘરની કિંમત જાણે છે. મહિલાઓના નામે સુવિધાસભર ઘર મળ્યા છે.  સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન કાર્ડ દ્વારા  રૂ.૧૦ લાખની આરોગ્ય સહાય તેમજ  જન ઔષધી કેન્દ્ર દ્વારા સસ્તી અને સારી દવાઓ ગરીબ લોકોને મળતી થઈ છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘરની ચાવી તેમજ પ્લોટ લાભાર્થીઓને જમીનની સનદ અપાઈ હતી.

આ કાર્યક્રમ  જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નગરપાલિકા પ્રમુખ  વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તા. પં.પ્રમુખ  ભૂમિકાબેન પટેલ, અગ્રણી કૌશલ્યા કુંવરબા,  જે.ડી. પટેલ, જેઠાભાઈ પટેલ, પંડ્યા,  સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ મોટી સંખ્યામાં લાભાર્થી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જિલ્લામાં અન્ય ત્રણ જગ્યાએ   આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં  તલોદ તાલુકામાં ઉમિયા સમાજવાડી સલાટપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં, ઈડર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્ય રમણલાલ વોરાની  તેમજ ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે જિલ્લા કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ઇ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં કુલ ૪૫૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.