પી.એમ આવાસ યોજના અંતર્ગત "શ્રી શક્તિ સેવા કેન્દ્ર" ના સહયોગ થી અંબાજી ખાતે લાભાર્થીઓને મકાન ફાળવાશે....

  • 9:19 pm February 10, 2024
જીતેન્દ્ર સોલંકી

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરાશે કુંભારીયા ખાતે ના ઘરો નું લોકાર્પણ....

ગબ્બર ખાતે ભિક્ષાવૃત્તી કરતા પરિવારો ને ઘર મળતા હરખ ની લાગણી....

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આજ રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત ના વિવિધ શહેરો માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં અંબાજી ના કુંભારીયા ખાતે  પી.એમ આવાસ યોજના ના લાભાર્થીઓ ને આજ રોજ આવાસ નું લોકાર્પણ કરાશે,અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના સહયોગ થી ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતા પરિવારો ને પી.એમ આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા.જે અંતર્ગત તૈયાર થયેલ મકાનો ના આજ રોજ લાભાર્થીઓ ને ફાળવાશે.  મકાન મેળવવામાં સહયોગ બદલ શ્રી શક્તિ સેવા કેન્દ્ર નો આભાર માનતા લાભાર્થી
વર્ષો થી ગબ્બર શક્તિપીઠ વિસ્તાર માં યાત્રિકો પાસે થી ભીખ માંગી ને ગુજારો કરતા અને ઝૂંપડું બનાવી ને રહેતા ભરથરી પરિવાર ના મોભી હરાજી લાથાજી ભરથરી એ પી.એમ આવાસ યોજના અંતરગત મકાન મેળવેલ છે.જેમાં ભિક્ષાવૃત્તિ કરતા તેમના બાળકો શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ધ્યાને આવતા કેન્દ્ર ના સહયોગ દ્વારા બાળકો ને પણ ભિક્ષાવૃતિ માંથી મુક્ત કરાવેલ અને સારા શિક્ષણ સાથે ઘર મેળવવા સહયોગ કરેલ તે બદલ તેમનો આભાર માન્યો હતો .

ભગવાન રામ ને ઘર મળ્યું, હવે અમને પણ ઘર મળશે,ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ - આશા બેન (લાભાર્થી):-

ઘણા વર્ષો થી ગરીબી અને હાડમારી માં જીવતા , ભીક્ષાવૃતી કે છૂટક મજૂરી કરી ને જીવન ગુજારતા ગરીબ બહેનો કે જેમણે પી.એમ આવાસ યોજના નો લાભ મળ્યો છે તેમણે પણ આજે મકાન મળશે ની ખુશી માં આનંદ વ્યક્ત કર્યો હતો.ભગવાન રામ ને આટલા વર્ષે ઘર ( મંદિર માં વિરાજમાન ) મળ્યું તેમ અમને પણ ઘર મળશે, અમને ઘર આપવા બદલ ખુબ ખુબ આભાર મોદી સાહેબ,કહેતા લાભાર્થી ના ચહેરા પર ઘર મળ્યા ની અનોખી ખુશી જોવા મળી હતી.

નારી સશક્તિકરણ અંતર્ગત,આદિવાસી બહેનો ના જીવનોદ્ધાર માટે ગૃહ ઉદ્યોગ નું પણ લોકાર્પણ કરશે મુખ્યમંત્રી

દાંતા તાલુકા વિસ્તાર એ અતિ પછાત આદિવાસી વિસ્તાર નો તાલુકો છે જ્યાં જંગલો માં વસતા  આદિવાસી પરિવાર ના લોકો ને જીવાદોરી માટે મજૂરી અને ખેતીકામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે તેવા માં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વાર આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે જેમાં વિવિધ કામગીરી માટે મહિલાઓ ને ટ્રેનિંગ ,અને કામ અપાશે જેમાં અગરબત્તી, કોડિયાં - દીવા,માટી ના અન્ય બનાવટો વાસણ, રૂ વાટ વગેરે જેવી વસ્તુઓ ના નિર્માણ માટે આધુનિક મશીનો સરકાર શ્રી ની સહાય થી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓ ને સશક્ત બનાવવા ,આત્મનિર્ભરતા અને સ્વમાનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપી અને કામ અપાશે જેથી તેમને રોજગારી સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર થયેલ માલ સમાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદશે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલ ખરીદી નારી સશક્તિકરણ ને ટેકો કરશે.