દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી પ્રાથમિક શાળા ખાતે ૮૦ લાખથી વધુના ખર્ચે ૧૦ ઓરડાનું ખાતમુહૂર્ત

  • 9:27 pm February 10, 2024
જાબીર શુકલા

 

દાહોદ :- દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ગામે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ નાઓના અધ્યક્ષસ્થાને મોટીઝરી પ્રાથમિક શાળા ખાતે ૧૦ ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, જિલ્લામાં શૈક્ષણિક વિકાસની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર દ્વારા અનેક પહેલ યોજનાઓ અને ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના લીધે જિલ્લામાં શિક્ષણનું સ્તરના કેવળ ઊંચું આવ્યું છે. પણ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તો જિલ્લાના બાળકોએ શિક્ષણક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રાજ્યમાં જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે. જિલ્લામાં કેટલીક સરકારી શાળાઓ ખાનગી શાળાઓના આધુનિક મકાનને પણ ઝાંખી પાડે એવી અને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં આગવી તરી આવે છે. વધુમાં મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારની બાળકોના શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓનો જો શાળાના શિક્ષકો યોગ્ય અમલીકરણ કરાવે તો કેટલું ઉત્તમ પરિણામ મળી શકે છે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે, જે ખાતમૂહુર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે. જેના પરિણામે આજે ગુજરાત અને દેશભરમાં અગ્રેસર છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રરભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેક યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે. તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. તેમ તેમણે ઉમેર્યું હતું. કે ગુજરાતે આજે વિકાસની હરણફાળ ભરી છે. જિલ્લામાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે. નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજન બદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે.કે વર્તમાન સરકાર ગામડાઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ખૂટતી કડી પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશા તત્પર છે એટલુ જ નહી ગામડાઓમાં વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવે છે. જેના લીધે આજે લોકાંક્ષાઓ પરી પુર્ણ કરવામાં આવી રહી છે. જેના ફળદાયી પરીણામો મળી રહ્યા છે.